ધોરણ - 10 ગુજરાતી સ્વાધ્યાય વૈષ્ણવજન
ધોરણ - 10 ગુજરાતી નું સ્વાધ્યાય
કાવ્ય 1
📝 વૈષ્ણવજન
સ્વાધ્યાય
[Q - 1]. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો.
(1) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી?
(A) બીજાના દુ:ખને સમજી શકે છે.
(B) નિરભિમાની હોય છે.
(C) [✓] અભિમાની હોય છે.
(D) કોઈની પણ નિંદા કરતા નથી.
(2) વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે...
(A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.
(B) વાણી, કાયા અને મનને કપટી બનાવે.
(C) [✓] વાણિ, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે.
(D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે
[Q - 2]. એક – એક વાક્યમાં ઉત્તર આપો.
(1) "સકળ તીરથ તેના તનમાં રે" – પંક્તિનો અર્થ જણાવો.
જવાબ :વૈષ્ણવજન નિર્મોહી , હૃદયી , વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે. તેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ કહે છે.
(2) મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી ?
જવાબ :મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી
.
[Q - 3]. નીચેના પ્રશ્નોના બે-ત્રણ લીટીમાં જવાબ આપો.
(1) કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જાય છે?
જવાબ : જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય , જેનામાં લોભ કે છળકપટ ન હોય , જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય , જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય , જેનું ચિત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર ઈકકોતર પેઢી તરી જાય છે.
(2) પરસ્ત્રી જેને માત રે – પંક્તિ સમજાવો.
જવાબ : ‘પરસ્ત્રી જેને માતા રે’ પંક્તિમાં તે સૈની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.
[Q - 4]. નીચેના પ્રશ્નોના સાત - આઠ લીટીમાં જવાબ આપો.
(1) નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં ક્યાં - ક્યાં લક્ષણો જણાવે છે? તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ : નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત તે સૌને આદર કરે છે. તે કોઈને નિંદા કરતો નથી. તેના મન, વાણી અને ચારિત્ર્યમાં કોઈ ભિન્ન્તા જોવા મળતા નથી, એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે.સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી.સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે. તેણે ઈચ્છા/કામનાનો ત્યાગ કર્યો હોય છે. તે ક્યારેક અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી.વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેનું ચિત્ત હંમેશા રામનામની ઘૂનમાં જલીન હોય છે તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તે નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. તેણે કામક્રોધ પર વિજય મેળવ્યો હોય છે.
[Q - 5]. નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો.
(1) "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે,
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે,"
જવાબ : આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વૈષ્ણવજનનો મહિમા સમજાવે છે સાચો વૈષ્ણવજન તે કહેવાય છે જે બીજાની પીડાને જાણે છે , સમજી શકે છે ને તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. પરંતુ, તેના પર ઉપકાર કરીને ઉપકાર કાર્યનું અભિમાન રાખતો નથી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો