ધોરણ - 10 ગુજરાતી નું સ્વાધ્યાય કાવ્ય 1 📝 વૈષ્ણવજન સ્વાધ્યાય [Q - 1]. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓)ની નિશાની કરો. (1) નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? (A) બીજાના દુ:ખને સમજી શકે છે. (B) નિરભિમાની હોય છે. (C) [✓] અભિમાની હોય છે. (D) કોઈની પણ નિંદા કરતા નથી. (2) વાચ, કાછ, મન નિર્મળ રાખે એટલે... (A) વાણી, ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે. (B) વાણી, કાયા અને મનને કપટી બનાવે. (C) [✓] વાણિ, ચારિત્ર્ય અને મનને સ્થિર રાખે. (D) વાણી, કાયા અને મનને ચંચળ રાખે [Q - 2]. એક – એક વાક્યમાં ઉત્તર આપો. (1) "સકળ તીરથ તેના તનમાં રે" – પંક્તિનો અર્થ જણાવો. જવાબ :વૈષ્ણવજન નિર્મોહી , હૃદયી , વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાના હોય છે. તેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય છે. તેથી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ કહે છે. (2) મોહમાયા કોને સ્પર્શી શકતાં...